Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાળીયાદ પાસે બે બાઇક અથડાતા રૈયા અને અનંતપરના બેના મોત

ભાવનગર, તા., ૬: પાળીયાદ તાબેના સરવા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જતા રૈયા રાજકોટના અને વીંછીયાના બે ના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા.

અકસ્માતથી મળતી વિગતો મુજબ બોટાદ જીલ્લાના પાળીયાદ તાબેના સરવા ગામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બેના ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જકરૂણ મોત નિપજયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારામાં ફલજીભાઇ મેરાભાઇ વાઘેલા (ઉ.વ.પ૦) રહે. રૈયા રાજકોટ તથા ઇકબાલ આદમભાઇ વડીયા (ઉ.વ.પપ) રહે. અનંતપર તા.વીંછીયાના હોવાનું જાણવા મળેલ છે. બનાવની જાણ થતા જ પાળીયાદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

(11:41 am IST)