Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

હાપા ખાતે રકતદાન અને સર્વરોગ નિદાન કેમ્પ

જામનગરઃ હાપા ગામ ખાતે સ્વ.શ્રી વિજયભાઇ વશરામભાઇ મિયાત્રાના સ્મરણાર્થે યોજવામાં આવેલ રકતદાન અને સર્વરોગ નિદાન કેમ્પને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ખુલ્લો મૂકયો હતો. આ કેમ્પમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રકતદાન જેવા માનવસેવાના કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો અને આ સેવાના ઉત્કૃષ્ટ કાર્યમાં લોકોને સહયોગ આપવા બદલ તેમજ આ આયોજન બદલ મિયાત્રા પરિવારને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી તથા કેમ્પના આયોજકો અને બહોળી સંખ્યામાં રકતદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:03 pm IST)