Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અમરેલીમાં માથાના દુઃખાવાથી કંટાળી કાજલબેનનો આપઘાત

એસિડ પી જતાં રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૫: અમરેલી ગજરાપરામાં રહેતાં કાજલબેન રાજુભાઇ ચારોલા (ઉ.વ.૩૦) તા. ૩ના રોજ સવારે ઘરે એસિડ પી જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં અમરેલી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને લાંબા સમયથી માથાનો દુઃખાવો રહેતો હોઇ તેના કારણે કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:51 am IST)