Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

જામનગરમાં ખારવા સમાજના પૂર્વ પ્રમુખની હત્યાના વિરોધમાં વિશાળ રેલી- આવેદન

જામનગર ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઘરેથી ગુમ થયા બાદ ગઈકાલે તેની હત્યા કરાયેલ લાશ ટીટોડીવાડી નજીક થી મળી આવતા આ મામલે જામનગરના ખારવા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,અને આજે ખુબ મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બેહનો એ સેતાવાડ થી રેલી યોજી અને એએસપી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી,

રજુઆતમાં જણાવાયું છે કે જે રીતે પૂર્વ પ્રમુખની ક્રૂર હત્યા થઇ છે જેને કારણે સમાજમાં ભારે આઘાત ની લાગણી જોવા મળી રહી છે,અને આ હત્યાના આરોપીઓને તાકીદે ઝડપી અને કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ પણ સમાજ દ્વારા કરવામાં આવી છે

(4:11 pm IST)