Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

હવે સોમનાથમાં થશે શક્તિપીઠના દર્શનઃ પાર્વતી માતાનું મંદિર બનાવવામાં આવશે

વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવાશે: સોમનાથમાં શિવની સાથે શક્તિના પણ દર્શન થશે

સોમનાથ : યાત્રાધામ  સોમનાથમાં હવે શક્તિપીઠનાપણ દર્શન થશે. સોમનાથ ટ્રસ્ટના લેવાયેલા નિર્ણય મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિર શ્વેત આરસમાંથી બનાવવામાં આવશે. આમ હવે સોમનાથ પાર્વતીનું મંદિર બનવાના લીધે શિવની સાથે શક્તિના પણ દર્શન થશે. સોમનાથના દર્શને વર્ષે લાખો ભાવિકો આવે છે.

(12:18 pm IST)