Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ધોરાજીમાં સિંધી વેપારી પાસેથી ખંડણી માંગતા બે શખ્સોને ઝડપી લેવાયા

ધોરાજી તા. ૫ : નદી બજાર વિસ્તારમાં કરીયાણાની જથ્થા બંધની દુકાનના સિંધી વેપારીને ફોન કરી ૧૫ લાખની ખંડણી માંગવા અંગે કૃણાલ કરીયાણા ભંડારના માલીક અને જમનાવડ રોડ ખાતે રહેતા પ્રકાશકુમાર લવજીભાઇ સંભવાણીએ ફરીયાદ કરેલ.

જો તારે ધંધો કરવો હોય તો ૧૫ લાખ આપવા પડશે અને આવી જ રીતે બીજા દિવસે પણ ફોન કરી ફરી ધમકી આપેલ અને જણાવેલ કે, સુરેન્દ્રનગરમાં પીએસઆઇ અમારા જાણીતા છે. પોલીસ અમારૃં કંઇ ન બગાડી શકે. આ અંગે ધોરાજી પોલીસમાં આઇપીસી કલમ ૩૮૫, ૫૦૪, ૫૦૬-૧ મુજબનો ગુનો દાખલ કરીને પોલીસે શકીલ બસીર વાલેરા (ઉ.૩૪) રહે. બહારપુરા પાંચ પીરનીવાડી વાળો તથા અનીશશા અનવશા ફકીર (ઉ.૩૩) રહે. પોસ્ટ ઓફિસ પાસે વાળાઓને પકડી પાડી જેલ હવાલે કરાયા હતા.

(11:42 am IST)