Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ખંભાળીયાના સ્મશાનમાં પ્રાર્થના હોલ મુદ્દે નટુભાઇનો આત્મ વિલોપનનો પ્રયાસ

છેલ્લા કેટલાક દિવસથી ખંભાળીયા સ્મશાનની આસપાસ પ્રાર્થના હોલ ન બનાવાની સાથે શહેરની સમસ્યાના મુદે યોગ્ય નહીં કરવામાં આવે તો પાલિકાની યોજાનાર સામાન્ય સભામાં આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે તેને કોઇ દાદ ન મળતાં પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ નટુભાઇ રીક્ષામાંથી ઉતરી સિધ્ધુ જ કેરોસીન છાંટી લેતાં હાજર પોલીસે તેમને આત્મ વિલોપનનો નાટકીય પ્રયાસ કરે તે પહેલાં જ અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતાં જો કે તેમનો ગણતરીની કલાકોમાં છૂટકારો પણ થયો હતો. આ અગાઉ પણ તેમના ઘર પાસે અને નગર ગેઇટ પાસે વેપારીઓના સમર્થનમાં કાળા કપડા અને માળા પહેરીને કાર્યક્રમ કર્યો હતો. પણ પોલીસે તેમને આવા નાટક બંધ કરવાનું કહી ચોખ્ખી સુચના આપી હતી જે બાદ માફામાફી કરી પોલીસ મથકેથી નિકળી ગયા હતાં. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળીયા)

(11:41 am IST)