-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 5th November 2020
જૂનાગઢ પાસે અર્ટીકા ઉંધી વળતા રાજકોટના વૃધ્ધનું મોત : ૩ને ઇજા
બે ભાઇની નજર સામે પિતાનું મૃત્યુ
(વિનુ જોષી) જૂનાગઢ તા. ૫ : જૂનાગઢ પાસે અર્ટીકા ઉંધી વળી જતા રાજકોટના એક વૃધ્ધનું મૃત્યુ થયું હતું અને ત્રણ વ્યકિતને નાની-મોટી ઇજા થઇ હતી.
આ અકસ્માતની વિગતો એવી છે કે, રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ગોકુલનગર શેરી નં. ૩માં રહેતા ઇમરાનભાઇ અબ્દુલભાઇ ઘુમરા (ઉ.૩૭) વગેરે ગઇકાલે જીજે૬એચએલ-૭૨૨૮ નંબરની અર્ટીકા કારમાં વેરાવળ ગયા હતા.
તેઓ ગઇકાલે પરત રાજકોટ જઇ રહ્યા હતા ત્યારે ઇમરાનભાઇનો ભાઇ અનીસ કાર ચલાવતો હતો.
જૂનાગઢ તાલુકાના વડાલ ગામ પાસે રસ્તા પર આવેલ ખાડાને કારણે કાર ઉછળીને ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી મારી ગઇ હતી.
આ પ્રમાણે સર્જાયેલા અકસ્માતમાં બંનેના પિતા અબ્દુલ રજાકભાઇ મહમદ હુસેન (ઉ.૬૫)નું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું અને ત્રણને ઇજા થઇ હતી. વિશેષ તપાસ વુમન હેડ કોન્સ્ટેબલ બાબરીયા ચલાવી રહ્યા છે.
(11:37 am IST)