Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પોરબંદરમાં કોરોનાના નવા એક પણ કેસ નહીં: વધુ ર દર્દીઓ સાજા થયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., પઃ કોરોનાની સારવાર લઇ રહેલા વધુ બે  દર્દીઓ સાજા થતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૭૦૦ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થયેલ છે. કોરોનાના નવા એક પણ કેસ નથી.

ગઇકાલે કોરોનાના શંકાસ્પદ ૪૮૧ કેસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટીવ આવેલ છે અને નવા એક પણ કેસ આવેલ નથી. સિવિલ હોસ્પીટલમાં હાલ ૮ દર્દીઓ કોરોનાની સારવારમાં છે.હોમ આઇસોલેશનમાં ૬ વ્યકિતઓ છે અઠવાડીયાથી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટતી જાય છે.

(11:37 am IST)