Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા કોરોના મુકત થાય તે માટે દુઆ - પ્રાર્થના

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૫ : જસદણના પૂર્વ ધારાસભ્ય અને હાલ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી, ગુજરાત સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાને કોરોના પોઝિટિવ આવતા જસદણ વિંછીયા પંથકમાં પ્રજાજનો પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા ડો. ભરતભાઇના સ્વાસ્થ્ય અંગે દુઆ પ્રાર્થના થઇ રહી છે.

ડો. ભરતભાઇને કોરોના પોઝિટિવ આવતા જ લોકોને જાણ કરી છે કે જે લોકો સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે.

આજે સવારે શહેરમાં રહેતા મુસ્લિમ ભીખુભાઇ ગફુલભાઇ મીઠાણી ખાસ કાળુપીર દાદાના મઝાર પર જઇ ડો. ભરતભાઇના સ્વાસ્થ્ય અંગે દુઆ માંગવા માટે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, મારી શાદી પ્રસંગે ડો. બોઘરા અને ગજેન્દ્રભાઇ રામાણીએ મને આર્થિક મદદ કરી હતી જેથી મારો પ્રસંગ સાંગોપાંગ પાર ઉતરી ગયો હતો જે મને આજીવન યાદ રહેશે આવી અનેક લોકોને ચૂપચાપ મદદ કરનારા ડો. બોઘરા જલ્દીથી સાજા થઇ જાય એ માટે કાળુપીર સરકારને આજે દુઆ કરવા અહીં ખાસ આવ્યો હતો.

(11:36 am IST)