Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

જામકંડોરણામાં ખેડુતોના પ્રશ્નો અંગે મામલતદારને આવેદન

જામકંડોરણા, તા.પઃ તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેસાઇની આગેવાની નીચે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કૃષિમંત્રીશ્રીને ઉદેશીને જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં જણાવેલ છે કે અપુરતા વરસાદને કારણે મગફળીનો પાક વહેલો તૈયાર થતા ખેડુતો દ્વારા વેચવાની શરૂઆત થઇ ગયેલ છે નાના અને સીમાંત ખેડુતો નાણાંકીય જરૂરીયાતને લઇને તેમની ઉત્પાદન થયેલ મગફળી તુરંત બજારમાં માર્કેટીંગ યાર્ડમાં વેચાણ અર્થે આવશે જે ઓછા ભાવને કારણે ખેડુતોને નુકશાની ભોગવવાનો વારો આવશે તેની નીચા ભાવે મગફળીનું વેચાણ કરવું પડે છે. જેની મજબુરીનો લાભ વેપારીઓ લઇ રહ્યા છે.

જેનાથી ખેડુતોને બચાવવા માટે મગફળીની તુરંત ખરીદી ચાલુ કરવી જોઇએ તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ઝડપ વધારવી જોઇએ આજે એક દિવસમાં માત્ર ૧૦૦ ખેડુતોની એક દિવસમાં નોંધણી થાય છે. તેમાં સુધારો કરીને વધુ ખેડુતોની નોંધણી થાય તેવી ઝડપી વ્યવસ્થા કરવી જોઇએ, ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછુ હોવાને કારણે મગફળીની ગુણવતા નબળી હોવાથી તેના જે ઉતારાનું ધોરણ-૬પ અને ૭૦નો છે તે ઘટાડી ૬૦ કરવા, ટેકાના ભાવથી નીચેની ખરીદી માર્કેટીંગ યાર્ડ ન કરે તેવો આદેશ કરવા, તલાટી મંત્રીને સમયસર પાણી પત્ર ભરવું આજે કયાંય પાણી પત્રક ભરેલ ન હોવાથી ખેડુતો હેરાન થાય છે, જામકંડોરણા તાલુકાને અર્ધ અછતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક સહાય જાહેર કરવી, ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવો સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવેલ છે.

(12:37 pm IST)