Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ચાંચાપર (મોરબી) થી નેસડા એસ.ટી. બસના ટાઇમમાં મનસ્વી ફેરફારો

મોરબી  તા.પઃ મોરબીથી સવારે નેસડા ગામ જવાની એસ.ટી.ની બસન જયારથી   શરૂ થઇ ત્યારથી આ રૂટની બસ મોરબીથી સવારે ૮/૩૦ વાગ્યે ઉપડી- ચાંચાપર થઇને  નેસડા જતી હતી. અને વળતા આજ રૂટ પર આ બસ મોરબી સવારના ૧૦ વાગ્યે પહોંચતી હતી.

છેલ્લા ત્રણેક માસ  થયા એસ.ટી.ના માંધાંતા અમલદારોએ મનસ્વીપણાથી સવારા ૮/૩ં૦ વાગ્યાના બદલે મોરબીથી સવારના ૧૦ વાગ્યે ઉપડવાનો સમય કરેલ હોઇ આ રૂટની બસ ૧ર/૧પ વાગ્યે મોરબી પહોંચતી હોઇ વેપારીઓને વિદ્યાર્થીઓને કોઇ પ્રકારે ઉપયોગી નથી.બસ અનિયમીત અને ખખડધજ  આ રૂટ પર મુકવામાં આવતી હોવાથી પ્રજામાં નિરાશા જન્મી છે. આ રૂટની બસમાં ટપાલના થેલાઓ આવતા હતા તે પણ ટાઇમ મોડો કરતા પ્રજાને ટપાલો પણ મોડી મળે છે. આ મોરબી -નેસડાના રૂટની બસ પ્રથમની જેમ ટાઇમ ટેબલે દોડાવવા માંગણી થઇ રહી છે.

(12:33 pm IST)