Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પોરબંદર સાંદીપનિ હરિ મંદિરે દિવાળીએ ધ્વજારોહન અને પુજન

 જુનાગઢ તા.૫: પોરબંદર સાંદીપનિ સ્થિત દિવ્ય શ્રીહરિ મંદિરમાં તા.૭ બુધવારના રોજ દિવાળીના દિવસે સવારે ૮ વાગ્યે નુતન ધ્વજારરોહણ પુજન કરવામાં આવશે.

પરમ પૂજય ભાઇશ્રીની ઉપસ્થિતિમાં સાંજે ૪:૩૦ વાગ્યાથી ૬:૩૦ સુધીમાં શ્રીલક્ષ્મીનારાયણ અને શ્રીયંત્રની ષોડશોપચાર પૂજન.૧૦૦૮ કમળ અને તુલસીદલ અર્પણ કરવામાં આવશે. સાંજે ૭:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં શયન આરતી અને શયન આરતી બાદ પૂજન ભાઇશ્રી સંગ દીપાવલી ઉત્સવ ઉજવવામાં આવશે. તા.૮ ગુરૂવારના રોજ નૂતન વર્ષના પવિત્ર દિવસે સવારે ૮ વાગ્યાથી અન્નકૂટના દર્શન થશે તેમજ પૂજય ભાઇશ્રી દ્વારા બપોરના ૧૨ વાગ્યે અન્નકૂટની આરતી કરવામાં આવશે.

તમામ હરિભભકતોને આ પવિત્ર મહાપર્વમાં જોડાવા માટે નિમંત્રણ છે શ્રી હરિ મંદિર સાંદીપનિ વિદ્યાનિકેતનની યાદીમાં પાઠવામાં આવ્યુ છે.

(12:23 pm IST)