Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

મોટાવડાળા તા. શાળામાં નિવૃત્ત વિદાય સમારંભ

કાલાવડ : મોટા વડાળા તા.શા.મા. આચાર્યશ્રી હંસાબેન બાબુભાઇ રૂપાભીંડાનો વિદાય સમારંભ યોજવામાં આવેલ. મોટાવડાળા તા.શા. તથા પેટાશાળાના તમામ શિક્ષકોના સંકલનથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં તાલુકામાંથી રાહુલભાઇ વાળંદ તથા સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકો તથા બહેનોએ પોતાના ભાવપ્રતિભાવ આપ્યા હતા. તમામ શિક્ષકો, ગ્રામજનો દ્વારા બહેનને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સીમાબેન રાબડીયાએ કર્યું હતું. મોટાવડાળા તા.શા.ના આચાર્ય મોતીભાઇ ભરવાડ તથા તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ. હેમાબેનનું સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.(૨૧.૪)

(10:24 am IST)