Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વિંછીયા તાલુકાનાં આંકડીયા ડેમમાં નર્મદાના નીર ઠલવાયા

વિંછીયા તાલુકાનાં આંકડીયા ગામ પાસે આવેલા આંકડીયા ડેમમાં નર્મદાના નીર સોૈની યોજના હેઠળ આંકડીયા ડેમમાં ઠલવાતા આ પંથકનાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.

બે દિવસ પહેલા નર્મદાના નીર ડેમમાં ઠલવાતા આજે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આજુબાજુનાં ગામનાં સરપંચો ભાજપનાં આગેવાનો અને ગ્રામજનોએ નર્મદાના નીરનું પૂજન કરી તેમનાં વધામણા કર્યા હતાં.

આ ડેમમાં નર્મદા નીર ઠલવાતાં આંકડીયા, દેવધરી, બેલડા, સરતાનપર, દેરાળા તેમજ આજુબાજુના ગામોની મુરજાતી મોલાતને જીવતદાન મળશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ વિસ્તારમાં આમેય વરસાદ ઓછો પડયો છે ત્યારે ડેમમાં નર્મદાના નીર આવતાં ખેડૂતોમાં ખુશી છવાઇ જવા પામી છે.

પાણી-પુરવઠા ખાતુ જ સંભાળતા અને સ્થાનિક પુર્વ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા આ પંથકની મુશ્કેલી સારી રીતે સમજી શકતા હોય તેમના પ્રયાસોથી ડેમમાં નીર ઠલવાતા ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો છે.(૧.૮)

 

(12:20 pm IST)