Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ગારીયાધારનાં સ્મશાનમાંથી આઘેડની લાશ મળી

 ગારિયાધાર તા.૬: નવાગામ રોડ પર આવેલાં સ્મશાનમાં લાકડાના ગોડાઉન પાસે કોહવાયેલી અને દુર્ગંધ ફેલાવતી અજાણ્યા પુરૃષની લાશ મળી આવી હતી. પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરતાં આ આઘેડ પાંચ ટોબરા ગામનો મુકેશભાઇ વાલજીભાઇ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. આ આઘેડ ઘણાં દિવસોથી ઘેરથી ચાલ્યા ગયાં હતા. આ મૃતદેહનું પી.એમ. કરવાની તેના પરિવારજનોએ આનાકાની કરતા પોલીસે સમજાવટ કરવી પડી હતી. આ આઘેડના મોતનું કારણ જાણવા મળ્યું નથી.(૧.૩૭)

(11:59 am IST)