Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગીર ગઢડાના કોદીયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયનો ઓવરફ્લો વધીને ૦.૨૦ મીટરએ પહોંચ્યો

પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૯૧૦.૩૦ ક્યુસેક પસાર થતું હોય નીચાળવાળા ગામોને સાવચેત કરાયા

 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં તેમજ ઉપરવાસમાં વરસાદ પડવાથી જળાશયમાં પાણીની આવક વધતા ૦.૦૫ મીટરનો ઓવરફ્લો ચાલુ હતો તે વધીને ૧૮:૩૦ કલાકે ૦.૨૦ મીટરનો થયેલ છે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૯૧૦.૩૦ ક્યુસેક પસાર થાય છે. તો નીચેના ગામોને સાવચેત કરવા વિનંતી છે.

હાલનું લેવલ:- ૧૦૯.૫૦ મી. છે  ઊંડાઈ:- ૧૦.૦૦ મી. છે જયારે  જીવંત જથ્થો:- ૨૬.૭૦૨૯ મી.ઘ.મી. છે

 

(1:15 am IST)