Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીના લીલાપર રોડ પર માનસિક બીમાર યુવાને બહેનના ઘરે આપઘાત કર્યો.

રક્ષાબંધન પર્વ નજીક છે ત્યારે ભાઈના આપઘાતથી ગમગીની.

મોરબીના લીલાપર રોડ પર રક્ષાબંધનના થોડા દિવસો પૂર્વે એક ભાઈ માનસિક બીમારીથી પીડિત હોય જેને કંટાળી જઈને બહેનના ઘરે રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જેથી પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લીલાપર રોડ પર રહેતા જીતેન્દ્ર વાલજીભાઈ સોલંકી (ઉ.વ.૨૭) નામના યુવાને તેના બહેન જસીબેનના ઘરે રસોડામાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે જે બનાવ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન એક વર્ષ પહેલા કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માતે નીચે પડતા માથાના ભાગે ઈજા થઇ હતી અને તે વખતે ઓપરેશન કરાવ્યું હતું
બાદમાં યુવાન ગમે ત્યારે માનસિક સંતુલન ગુમાવી દેતા નીચે પડી જતો હતો જે બીમારીથી કંટાળી આવેશમાં આવી જઈને યુવાને બહેનના ઘરે આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(12:30 am IST)