Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વિરપુરની પરણિતાને દહેજ અંગે ત્રાસઃ પતિ-સાસરીયા સામે ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. પ :.. વિરપુરની પરણીતાને પતિ અને સાસરીયા કરીયાવર બાબતે ત્રાસ આપતા હોવાની ફરીયાદ થઇ છે.

શહેરના નવાગઢ સરધારપુર દરવાજાની પાસે રહેતા સુરેશભાઇ બારૈયાની દિકરી હેતલબેનના બીજા લગ્ન વિરપુર ગંગાનગરમાં રહેતા મનજીભાઇ પરબતભાઇ મેપાણીના પુત્ર સાગર સાથે ૧ વર્ષ પહેલા થયેલ લગ્નના થોડા સમય બાદ તેના પતી, સાસુ-સસરા ઘરકામ બાબતે મેણા ટોણા માટે દુઃખ ત્રાસ આપતા હોય તેમજ કરીયાવર બાબતે કહેતા હોય અને શંકા કરી માવતરે ત્રણ દિવસ જવાનું કહી ફરી સાસરીયે આવા ન દેતા હેતલબેન શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પતી સાગર, સસરા મનજીભાઇ પરબતભાઇ મેયાણી, સાસુ શારદાબેન ત્રણે વિરૂધ્‍ધ આઇપીસી  ૪૯૮ (અ) ૩ર૩, ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(2:29 pm IST)