Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુનાગઢ અને કેશોદમાં કોરોનાના વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો

૯ કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં ૪ર લોકોનો સમાવેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ :  : ગુરૂવારે જુનાગઢ સીટી અને કેશોદમાં કોરોનાના વધુ એક એક પોઝીટીવ કેસ નોંધાતા કોરોના દર્દીની સંખ્‍યામાં વધારો થયો હતો.

કોરોનાના કેસ વધતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયા અને લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસને લઇ ૯ કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં ૧૩ ઘરના ૪ર લોકોનો સમાવેશ થાય છે.

દરમિયાન ગઇકાલે જુનાગઢમાં ૩૩૬પ અને ગ્રામ્‍યમાં ૩ર,૯૪૬ લોકોને વેકસીન આપવામાં આવી હતી.

(1:34 pm IST)