Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબીમાં રમજાન ખોખરનો ગળેફાંસો ખાઇ આપઘાત : કારણ અંગે તપાસ

ટંકારાના નેસડા ગામે નશાની કુટેવની કંટાળી ગીરીશભાઇનો ઝેર પી આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. પઃ  મોરબીમાં વીશીપરામાં અગમ્‍ય કારણોસર યુવકે ગળેફાંસો આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્‍યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વીશીપરા કુલીનગર-૧માં રહેતા ૨૭ વર્ષીય રમજાનભાઈ જાફરભાઈ ખોખરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગેની જાણ મોરબી સીટી બી ડિવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્‍ય એક બનાવમાં ટંકારાના નેસડા (ખા) ગામે રહેતા ૩૫ વર્ષીય ગીરીશભાઇ માવજીભાઇ પરમારે ઝેરી દવા ગટગટાવી મોતને વ્‍હાલું કર્યું હતું. આ અંગેની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો. જ્‍યાં પોલીસ તપાસમાં સામે આવ્‍યું હતું કે,ગીરીશભાઇ કઇ કામધંધો કરતા ન હતા અને તેને નશાની કુટેવ હતી. જેને પગલે તેણે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી.  બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:31 pm IST)