Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબી પાલિકાના ૬૬૩ રોજમદાર કર્મીઓનું જન્‍માષ્ટમીએ રોજીંદુ મહેનતાણું વધી જશે

મોરબી ,તા.૫: નગરપાલિકાના ૬૬૩ જેટલા રોજમદાર કર્મીઓનું દૈનિક રોજ વધાર્યું છે. હાલ મોંઘવારીને ધ્‍યાને લઈને રોજમદાર કર્મીઓનું રૂ.૪૭૪ જેટલું રોજ કરી આપવામાં આવતા જન્‍માષ્ટમીએ દિવાળી જેવા માહોલ વચ્‍ચે કર્મચારીઓ દ્વારા અધિકારી અને પદાધિકારીઓનું સન્‍માન કરાયું હતું.

મોરબી નગરપાલિકામાં મોટાભાગના કર્મચારીઓ રોજમદાર તરીકે કામ કરે છે. જેમાં મોરબી નગરપાલિકામાં સફાઈ સહિતના કામ કરતા ૬૬૩ જેટલા રોજમદાર કર્મીઓનું દૈનિક રોજ ઓછું હોવાથી મોંઘવારી મુજબ વારંવાર રોજ વધારવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને છેલ્લા ચાર મહિનામાં સરકારના ધારાધોરણ મુજબ આ કર્મીઓનો પગારવધારો કરવામાં આવ્‍યો છે. જેમાં અગાઉ રૂ ૩૦૫ રોજ હતું. આથી ફ્રેબ્રુઆરીમાં રૂ.૩૮૯ અને તાજેતરમાં આ રોજમદાર કર્મીઓનું દૈનિક રોજ રૂ.૪૭૪ કરી આપતા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ જયરાજસિંહ ઝાલા, કારોબારી ચેરમેન સુરેશ દેસાઈનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(1:28 pm IST)