Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મેરજા રવિવારે મોરબીના પ્રવાસે

મોરબી,તા.૫: રાજ્‍ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્‍ય બ્રિજેશ મેરજા આગામી તારીખ ૭ ઓગસ્‍ટ ને રવિવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે અને તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

તારીખ ૭ ઓગસ્‍ટ ને રવિવારે ૮-૩૦ કલાકે ભાડિયાદ(જવાહર) ગામે હનુમાનજી મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્‍યારબાદ સવારે ૧૦ વાગ્‍યે જડેશ્વર ગામે જડેશ્વર મંદિરે લોકમેળાનો પ્રારંભ કરાવશે. ૧૦:૪૫ વાગ્‍યે ધ્રુવનગર (ટંકારા) ખાતે સ્‍થાનિક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ ૧૧:૩૦ કલાકે મોરબીના સીંધોઇ માતાજી મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા/નવચંડી યજ્ઞમાં હાજરી આપશે. ત્‍યારબાદ ૧૨ વાગે વાઘપર ખાતે સથવારા સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે ૬ વાગે મોરબીના સામા કાંઠે પંચમુખી હનુમાનજી મંદિરે તાવા પ્રસાદ કાર્યક્રમમાં હાજર રહેશે.

(1:27 pm IST)