Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પોરબંદરમાં આવતીકાલે પૂ.ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પવા આવતા ઉપરાષ્‍ટ્રપતિ વેકૈયા નાયડુને આવકારવા તૈયારીઓ

સવારે દ્વારકામાં દર્શન કરીને ઉપરાષ્‍ટ્રપતિ કીર્તીમંદિરની મુલાકાતે આવશે અને ગાંધી વંદના બાદ પોરબંદરથી સોમનાથ જવાનો કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫: દેશના ઉપરાષ્‍ટ્રપતિ વેકૈયા નાયડુ આવતીકાલે તા.૬ના રોજ શનિવારે ગાંધી  જન્‍મસ્‍થળ કીર્તીમંદિરે પૂ.ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પણ કરવા આવતા હોય ઉપરાષ્‍ટ્રપતિ વેકૈયા નાયડુનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર આખરી તૈયારીઓ થઇ રહી છે.ઉપરાષ્‍ટ્રપતિ વેકૈયા નાયડુ આવતીકાલે સવારે દ્વારકાના જગત મંદિરે દર્શન કર્યા બાદ પોરબંદર કીર્તીમંદિરે પૂ. ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પણ કરશે.

કીર્તીમંદિરની મુલાકાત બાદ ઉપરાષ્‍ટ્રપતિ વકૈયા નાયડુ પોરબંદરથી સોમનાથ દર્શન માટે જવા રવાના થશે. જિલ્લા વહીવટી તંત્ર ઉપરાષ્‍ટ્રપતિ વેકૈયા નાયડુને આવકારવા સુરક્ષા સહીત તમામ તૈયારીમાં લાગી ગયું છે.

(1:25 pm IST)