Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ફલ્લા અકસ્‍માત ગ્રસ્‍ત સ્‍થળની મુલાકાત લેતા કૃષિ મંત્રીઃ ઘટતા પગલા લેવાની અપાઇ ખાતરી

ફલ્લા તા. પ : તાજેતરમાં ફલ્લા ગામે થયેલા ગમખ્‍વાર અકસ્‍માતના કારણે ટ્રકમં બેઠેલા ચાલક અને કલીનરના મોત નીપજેલ તથા બસ સ્‍ટેન્‍ડનો ભુકકો બોલી ગયો હતો તે સ્‍થળની મુલાકાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે લીધી હતી અને ગામના આગેવાનો અને જીલ્લા પંચાયતના સદસ્‍ય કમલેશ ધમસાલિયા સાથે વાતચીત કરી હતી ફલ્લાની આ ડેંઝર ગોલાઇ બાબતે અવાર-નવાર રજુઆત કરી હતી અગાઉ પાંચ સાત વર્ષ પહેલા રાઘવજીભાઇ પટેલના પ્રત્‍યનોથીજ આ ગોલાઇને નાની કરવામાં આવતા અકસ્‍માતોમાં ઘટાડો થયો છે જયારે જીલ્લા પંચાયત સદસ્‍યો ગોલાઇ પાસે આવતા પુલના છેડે બેરીકેટ રાખવાની ભલામણ કરી છે. જેથી કરીને અકસ્‍માત નિવારી શકાય. કૃષિ મંત્રીને ફલ્‍લા વિસ્‍તારના પત્રકાર મુકેશ વરિયાએ પણ અકસ્‍માત નિવારવા માટે શું શું પગલા લઇ શકાય તેવી રજુઆત કરી હતી રાઘવજીભાઇએ ઘટતી કાર્યવાહી કરવા તથા ગાંધીનગર જે તે વિભાગમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી.

(1:24 pm IST)