Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢમાં મેયર ગીતાબેન એમ. પરમારના હસ્‍તે તિરંગા વેચાણ કેન્‍દ્રનો પ્રારંભ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૫ : આઝાદી કા અમળત મહોત્‍સવની ઉજવણી સ્‍વતંત્રતા સપ્તાહ તા. ૧૩ થી૧૫ દરમ્‍યાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્‍ટ્ર વ્‍યાપી ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ આઝાદ ચોક ખાતે મેયર  ગીતાબેન એમ. પરમારના હસ્‍તે તિરંગા વેચાણ કેન્‍દ્રનો પ્રારંભ કરાયો. આ તક કમિશનર  રાજેશ એમ. તન્ના,સ્‍થાયી સમિતિ ચેરમેન  હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર પલ્લવીબેન ઠાકર, આરતીબેન જોશી, લેબર ઓફિસર વીનેશભાઈ પાટડીયા, હાઉસ ટેક્‍સ સુપ્રી. વિરલભાઈ કે. જોશી, ભરતભાઈ મુરબીયા તથા શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:01 pm IST)