Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુનાગઢમાં સ્‍વ. ગોબરભાઈ પાનસુરીયાનો શ્રધ્‍ધાંજલી અને વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૫ : પાનસુરીયા કેળવણી વિકાસ ટ્રસ્‍ટ સંચાલિત અને કેળવણી ક્ષેત્રે અગ્રીમ નામ ધરાવનાર જુનાગઢના ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવેલ જી.એસ.પી. સ્‍કુલ ખાતે સરદાર પટેલ હાઈસ્‍કુલ તેમજ સેંનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર, ડિપ્‍લોમા કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો , શાળા પરીવારના સ્‍ટાફ બહેનો , ટ્રસ્‍ટીઓ અને લાયન્‍સ ક્‍લબ રુદ્રાક્ષના આગેવાનો અને હોદેદારોની હાજરીમાં સંસ્‍થા સાથે જેનું નામ જોડાયેલ છે તેવા સ્‍વ. ગોબરભાઈ પાનસુરીયાની ૩૨મી પુણ્‍યતિથી નિમિતે શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ.

 તેમની પુણ્‍યતિથિ નિમિતે શાળા પરીવાર દ્વારા અને મહેમાનોની હાજરીમાં શ્રધ્‍ધાંજલી અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ દિવસે સ્‍વ. ગોબરભાઈની છબીને શાળા પરીવાર અને વિદ્યાર્થીઓ તથા મહેમાનો દ્વારા શ્રધ્‍ધાંજલી સમર્પિત કરવામાં આવે છે. તેમજ શાળાના શિક્ષિકા બહેનો દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરી ભાવગીત, શૌર્યગીત અને ધુન - ભજન વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તેમજ આ દિવસ નિમિતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો દ્વારા વળક્ષારોપણ પણ કરેલ હતુ. આ પ્રસંગે પધારેલ મહેમાનોમાં ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી અમુભાઈ પાનસુરીયાએ વિદ્યાર્થીઓને વ્‍યસનો છોડવા અને પોતાના વાલીઓને વ્‍યસનો છોડાવવાની શીખ આપેલ.

આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી અમુભાઈ પાનસુરીયા, પાસ્‍ટ ડિસ્‍ટ્રીક ગવર્નર mjf ધીરુભાઈ રાણપરીયા, રિજીયન ચેરમેન  ચંદ્રકાંતભાઈ પટેલ , ઝોન ચેરમેન ડો.ચીરાગ પાનસુરીયા , લાયન્‍સ ક્‍લબ રૂદ્રાક્ષના પ્રમુખ પ્રતિક રાબડીયા, ડિ.ડેપ્‍યુટી સેક્રેટરી રૂપલબેન લખલાણી , સિનિયર એડવોકેટ ભરતભાઈ રાવલ, સંચાલક અશ્વિનભાઈ ઉસદડ, પારસભાઈ પાનસુરીયા, રોમીલભાઈ, સ્‍ટાફગણ, તેમજ  અન્‍ય આગેવાનો અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સંચાલક અશ્વિનભાઈ ઉસદડ,  પારસભાઈ પાનસુરીયા, સુપરવાઈઝર વર્ષાબેન ભંભાણી અને સમગ્ર સ્‍ટાફના સભ્‍યોએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી વર્ષાબેન ભંભાણીએ કરેલ હતુ.

(11:59 am IST)