Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કેન્‍દ્રીય વિદ્યાલયની ક્‍વિઝ સ્‍પર્ધામાં જૂનાગઢના વિદ્યાર્થીઓ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩ : કેન્‍દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામની ચળવળ વિષય પર આયોજિત કલ્‍સ્‍ટર લેવલ કવીઝ સ્‍પર્ધા, કેન્‍દ્રીય વિધ્‍યાલય રાજકોટ ખાતે  કુલ-૬ કેન્‍દ્રીય વિદ્યાલય (જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જેતપુર, દીવ, દમણ)ના વિદ્યાર્થીઓ વચ્‍ચે યોજવામાં આવેલ. જે સ્‍પર્ધામાં કેન્‍દ્રીય વિદ્યાલય,જુનાગઢની ટીમ અન્‍ય-૫  કેન્‍દ્રીય વિધ્‍યાલયની ટીમને પરાસ્‍ત કરીને, રાજયકક્ષાની કવીઝ સ્‍પર્ધા માટે સિનીયર સેકશનમાં પ્રથમ ક્રમ મેળવેલ હોય, કેન્‍દ્રીય વિદ્યાલયખાતે, ધોરણ-૯માં અભ્‍યાસ કરતાં, સિનીયર ટીમના વિધ્‍યાર્થી  (૧) મૌલિક ભરાડ  તથા (૨) દીતી જાવિયા બન્નેને  અભિનંદન અને ઉત્તરોતર રાજયકક્ષાની ટીમમાં પણ આગળ ઉજ્જવળ દેખાવ કરે તેવી શુભકામના સાથે કેન્‍દ્રીય વિદ્યાલય આચાર્ય, વિષય શિક્ષક ગગનભાઇ, વૈદેહીબેન તથા તમામ શિક્ષકગણને મેહુલ નટવરલાલ ભરાડ (મામા), વરૂણ નટવરલાલ ભરાડ (મામા) તરફથી શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

(11:58 am IST)