Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વાંકાનેરમાં લમ્‍પી રોગથી ત્રણ ગાયોના મોત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૫ : વાંકાનેર પંથકમાં લમ્‍પી રોગચાળાથી પશુઓના મોત થઇ રહ્યાનો ક્રમ આગળ વધી રહ્યો છે બે દિ' પહેલા કાનપરના સરપંચના કહેવાનુંસાર એક ગાયનું મોત થયું હતુ જ્‍યારે ગઇ કાલે વાંકાનેર પંથકના ગેલાભાઇ હઠાભાઇની બે ગાયો મોતને શરણ થઇ હતી જ્‍યારે ગઇ કાલે થી અમરસરના જયેશભાઇ મોમભાઇની સાજી સારી કિંમતી ગાયનું લમ્‍પી રોગચાળાથી મૃત્‍યુ થયુ હતું.

લમ્‍પી રોગચાળો વાંકાનેર પંથકના પશુધનને બરબાદ કરી રહ્યો છે. પશુ આરોગ્‍ય વિભાગ પશુઓના રસીકરણ માટે ઝડપી કાર્યવાહી કરે તેવી માલધારીઓની માંગણી છે.

(11:49 am IST)