Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ભાવનગરમાં કોરોનાથી મોત અને ૧૦ નવા કેસ નોંધાયા

ભાવનગર, તા.૫: ભાવનગરમાં કોરોનાથી એકનું મોત નીપજયું છે જયારે વધુ દસ પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોનાવાયરસ એ ભાવનગરમાં વધુ એકનો ભોગ લીધો છે.ᅠ ભાવનગર શહેરના સુભાષનગર વિસ્‍તારમાં રહેતા ૭૯ વર્ષના વૃદ્ધનું કોરોના ને કારણે મોત નિપજયું છે.

ભાવનગર શહેરમાં વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે અને ભાવનગર ગ્રામ્‍ય માં ૩ કેસ નોંધાયા છે. આજે ભાવનગર જિલ્લામાંથી એકપણ દર્દી ડિસ્‍ચાર્જ થયેલ નથી.

ભાવનગરમાં એક મોત નિપજતા ભાવનગર જિલ્લામાં અત્‍યાર કોરોનાનો મૃત્‍યુઆંક વધીને ૩૬૨ થવા પામ્‍યો છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવદર્દીઓની સંખ્‍યા ૧૮૫ રહેવા પામી છે.

(10:58 am IST)