Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રવિવારે મોરબીના પ્રવાસે.: વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

મોરબી: રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આગામી તારીખ 7 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે અને તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
તારીખ 7 ઓગસ્ટ ને રવિવારે 8-30 કલાકે ભાડિયાદ(જવાહર) ગામે હનુમાનજી મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે જડેશ્વર ગામે જડેશ્વર મંદિરે લોકમેળોનો પ્રારંભ કરાવશે. 10-45 વાગ્યે ધ્રુવનગર (ટંકારા) ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 11-30 કલાકે મોરબીના સીંધોઇ માતાજી મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા/નવચંડી યજ્ઞમાં હાજરી આપશે. ત્યારબાદ 12 વાગે વાઘપર ખાતે સથવારા સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 6 વાગે મોરબીના સામા કાંઠે પંચમુખી હનુમાનજી મંદિરે તાવા પ્રસાદ કાર્યક્રમમાં હાજર રહેશે.

(1:12 am IST)