Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

જામકંડોરણામાં વિઠ્ઠલભાઇની સ્મૃતિમાં વૃક્ષારોપણ

ધોરાજી : જામકંડોરણામાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની યાદમાં જી.પંચાયત ખાતે સરપંચ જશમતભાઇ કોયાણી અને સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવી હતી. સરપંચ જશમતભાઇ કોયાણી અને સદસ્યોએ જણાવેલ કે સમગ્ર જામકંડોરણામાં સી.સી.રોડ ગેસ પાઇપલાઇન પાણીની સુવિધા, અમદાવાદ જેવી રીવરફ્રન્ટ, કોમ્યુનીટી હોલ કરોડોના ખર્ચે પ્રવેશદ્વારો , ભુગર્ભ ગટર સહિતની શહેરોને રડીયામણુ કરી સુવિધાઓ મળે તેવી જામકંડોરણા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સમાજો અને પાયાની સુવિધાઓ આપણા વિઠ્ઠલભાઇ રાખડીયાએ પોતાની આગવી સુઝથી સુવિધાઓ અપાવેલ. ગૌતમભાઇ વ્યાસે જણાવેલ કે દરેક સમાજને સાથે લઇ ચાલનારા મુઠ્ઠી ઉચેરા માનવીની શ્રધ્ધાસુમન સરપંચ જશમતભાઇ, પુષ્પાબેન અગ્રાવત, પ્રવિણાબેન વ્યાસ, સિધ્ધાર્થભાઇ ભાયાણી, ઉર્મીલાબા જાડેજા, ફરીદાબેન વદેવારીયા, લીલાવંતીબેન બાલઘા, હકાભાઇ ટોળીયા, શારદાબેન બગડા, હરીભાઇ ચુડાસમા, વૃજલાલ બાલઘા તેમજ કર્મચારીએ અજયભાઇ બારોટ, દિનેશભાઇ આડતીયા, હરસુખભાઇ દોંગા, સાગરભાઇ કોયાણી, વિપુલ કોયાણી, મહેન્દ્ર ચૌહાણ, મુકેશ રાજયગુરૂ, પ્રફુલભાઇ જોશી, અશ્વિન પરમાર, સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરી તેમની યાદમાં વૃક્ષારોપણ કરેલ હતુ.

(2:01 pm IST)