Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

જૂનાગઢમાં સાત શખ્સોની ચોર ટોળકીનો આતંક પથ્થરમારો કરીને નાસી ગયા

તસ્કરોએ માતા-પુત્રને ધમકી પણ આપી

જુનાગઢ, તા. પ : જૂનાગઢમાં ટીંબાવાડી મધુરમ બાયપાસ પાસે આવેલ પ્રિયંકા પાર્ક બે સોસાયટીમાં રવિવારની વ્હેલી સવારે રપ થી ૩૦ વર્ષની ઉંમરના છ સહિત સાત તસ્કરો ખાબકયા હતા.

આ ચોર ટોળકીએ ભાવનાબેન નરેન્દ્રભાઇ પારેડીના મકાનના દરવાજાનું તાળુ તોડી લોખંડના કબાટની તિજોરી તોડવાની કોશિષ કરી હતી.

પરંતુ કારી નહિ ફાવતા તસ્કર ટોળકી માલતીબેન હસમુખભાઇ કારીયાના મકાનના ફળીયામાંથી નીકળતા માલતીબેન અને તેનો પુત્ર જાગી ગયા હતા.

આથી તસ્કર ટોળકીએ માતા-પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી અને મકાન ઉપર પથ્થરમારો કરીને તમામે  સાત શખ્સો નાસી ગયા હતાં. આમ સાત શખ્સોની ચોર ટોળકીના આતંકની સ્થાનિક રહીશોમાં હલચલ મચી ગઇ હતી. આ અંગેની જાણ થતાં સી-ડીવીઝનના પી.એસ.આઇ. એન.કે. વાજાએ દોડી જઇને તપાસ હાથ ધરશી દીધી હતી

(12:21 pm IST)