Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જામનગર : લાલપુર પંથકના ર બુટલેગરો ૭ જીલ્લામાંથી હદપાર

જામનગર તા.પ : જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ જામનગરનાઓની તથા મદદનીશ પોલીસ અધિક્ષક સંદિપ ચૌધરીના માર્ગદર્શન અને સુચના મુજબ લાલપુર પો. સ્ટે.ના વિસ્તારમાં આવેલ પ્રોહીબીશન બુટલેગરોની પ્રવૃતિ ડામી દેવા સુચના કરેલ હોય જે અંગે લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.ખાંભલાનાઓએ લાલપુર પો. સ્ટે. વિસ્તારના પ્રોહી બુટલેગર નં. (૧) લખમણ ઉર્ફે ભુરો ધનજીભાઇ ઢાંકેચા વાલ્મીકી વાસ, શીવનગર તા. લાલપુર જી. જામનગર તથા નં. (ર) દિનેશ નારણભાઇ બારીયા રહે નાના ખડબા તા.લાલપુર જી. જામનગર વાળાઓ વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી અને લાલપુર પ્રાંત સાહેબની કચેરીમાં શ્રી મદદનીશ પોલીસ અધિકક્ષક સાહેબ મારફતે મોકલવામાં આવેલ હતો. જે અનુસંધાને આજરોજ પ્રાંતઅધિકારી અને સબ ડીવીઝનલ મેજી. સાહેબ લાલપુરનાઓએ ઉપરોકત બંન્ને સામાવાળાઓને જામનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબી, રાજકોટ જીલ્લાની હદમાંથી ૧ વર્ષ માટે હદપાર કરેલ હોય જે અનુસંધાને આજરોજ પો. સબ. ઇન્સ. શ્રી જે.બી.ખાંભલા અમદાવાદ ગ્રામ્યજીલ્લામાં તથા નં.(ર) વાળાઓને અમરેલી જીલ્લામાં મોકલેલ છે.

આ કાર્યવાહીમાં લાલપુર પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. જે.બી. ખાંભલા તથા પો. હેડ કોન્સ. ટીનુભા બચુભા જાડેજા, પો. હેડ કોન્સ. સુરેશભાઇ આર. પરમાર પો. હેડ કોન્સ. એન.પી.વસરા, પો. કોન્સ. ખોડુભા માનસંગજી જાડેજા પો. કોન્સ. પ્રદિપસિંહ ટેમુભા જાડેજાનાઓએ કરેલ છે.

(1:22 pm IST)