Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

માનો... યા... ન... માનો...: ખાનગી શાળામાંથી ઉઠાડી ૧૫૦૮ બાળકોને સરકારી સ્કુલમાં બેસાડયા

ઝાલાવડમાં ઉલ્ટી ગંગા : સરકારી શાળાઓ દાખલારૂપ : સુરેન્દ્રનગર જિલ્લામાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ ફેલાઈ રહ્યો છે

સુરેન્દ્રનગર, તા. ૫ : પ્રત્યેક માતા - પિતાની ઈચ્છા હોય કે તેમના બાળકોને સુ-સંસ્કારીત અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે. આ માટે વાલીઓ પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ પોતાના બાળકોના ઉજવળ ભવિષ્ય માટે તેમનું ખાનગી શાળાઓમાં નામાંકન કરાવતા હતા, પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ બદલાય છે. ગુજરાત સરકારના શિક્ષણમાં ગુણવત્ત્।ા આવે અને પ્રત્યેક શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે તજજ્ઞ શિક્ષકો ઉપલબ્ધ બને તે માટેના નિષ્ઠાવાન પ્રયાસોએ રાજયના શિક્ષણમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે. જેના પરિણામે આજથી થોડા સમય પૂર્વે જે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાના બદલે ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હતા તે વાલીઓ હવે તેમના બાળકોનું નામ ખાનગી શાળામાંથી કઢાવીને પૂનઃ તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહયા છે.

આ વાત છે ઝાલાવાડના નામે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓમાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ હવે પલટાયો છે. સમગ્ર દેશના લોકો પોતાના સંતાનોના ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ તરફ દોટ મુકી રહયા છે, તેવા સમયે ઝાલાવાડની સરકારી શાળાઓમાં જુદુ ચિત્ર જોવા મળી રહયું છે. આજે ઝાલાવાડવાસીઓ તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે જિલ્લાની ખાનગી શાળામાંથી તેમના બાળકોનું નામ કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહયા છે.

આજના વાલીઓ પોતાના સંતાનોને શાળામાં પ્રવેશ અપાવતા પહેલા દ્યણા બધા પાસાઓ જેવા કે, કાર્યદક્ષ અનુભવી શિક્ષકો, શાળાનું વાતારવરણ, શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્ત્।ા વગેરેની ચકાસણી કરી ત્યારબાદ જ તેમના સંતાનોના ભવિષ્યનો નિર્ણય લેતા હોય છે, તેવા સમયે ઝાલાવાડવાસીઓની આવી તમામ અપેક્ષાઓ પુરી થાય તેવા વાતાવરણનું સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓમાં નિર્માણ થયું છે. જેનાથી પ્રેરાઈને અહિંના વાલીઓએ તેમના ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા ૧૫૦૮ બાળકોનું ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવીને તેમને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે.

રાજય સરકારના ૧૦૦ ટકા સાક્ષરતાના ધ્યેયને હાંસલ કરવા અને પ્રત્યેક બાળક ગુણવત્ત્।ાયુકત શિક્ષણ મેળવે તે માટેના યથાર્થ પ્રયાસોની ફળશ્રુતિ અહિની શાળાઓમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચૌધરીના જણાવ્યા પ્રમાણે સરકારની શિક્ષણને ધબકતું બનાવી પ્રત્યેક સરકારી શાળાઓમાં વધુ સારૂ શિક્ષણ ઉપલબ્ધ બને તે માટેની કટીબધ્ધતાના પરિણામે આજે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઈન્ટરનેટ કનેકટીવીટી ધરાવતા ઈ-કલાસ રૂમો, સાયન્સ સેન્ટરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થતાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. જેના કારણે આ જિલ્લાના વાલીઓ ખાનગી શાળાના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહયાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની વિવિધ ખાનગી શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૫૦૮ બાળકોને તેમના વાલીઓએ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. જેમાં વઢવાણ તાલુકાની શાળામાં ૪૬૩, લીંબડી તાલુકાની શાળામાં ૧૧૭, ચુડા તાલુકાની શાળામાં ૧૦૩, ચોટીલા તાલુકાની શાળામાં ૭૪, થાનગઢ તાલુકાની શાળામાં ૨૦, સાયલા તાલુકાની શાળામાં ૧૪૪, મુળી તાલુકાની શાળામાં ૧૯૬, લખતર તાલુકાની શાળામાં ૧૦, ધ્રાંગધ્રા તાલુકાની શાળામાં ૨૭૬ અને પાટડી (દસાડા) તાલુકાની શાળામાં ૧૦૫ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

શિક્ષણક્ષેત્રે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લો પણ અગ્રેસર બને અને અહીંના લોકોને વધુ સારૃં શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેની કટીબધ્ધતા સાથે ઝાલાવાડમાં હાથ ધરાયેલું આ યજ્ઞરૂપી કાર્ય આ મલકના લોકો માટે ઉપકારક બની રહેશે.

(11:45 am IST)