Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આટકોટમાં લોયણ માતાના મંદિરે અષાઢી બીજની ઉજવણી : પૂ. ભારતીબાપુની ઉપસ્થિતી

આટકોટ : સમગ્ર વિશ્વના એક માત્ર હાર-સુથાર જ્ઞાતીના કુળદેવી શ્રી લોયણ માતના મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પુ. ભારતીબાપુ (જુનાગઢ) ની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. ભારતીબાપુનું અને ટ્રસ્ટના પ્રમુખ જે.પી. રાઠોડ જસદણવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિ વર્ષની નેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ ભરમાંથી મોટી સંખ્યામાં લુહાર-સુથાર જ્ઞાતીજનો ઉપસ્થિત રહયા હતા. બપોરે અને સાજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ વિજય વસાણી આટકોટ)

(11:35 am IST)