Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી – રાજકોટ વચ્ચે રેલ્વે લાઈનના કામ બાબતે રેલ્વે મંત્રીને રજૂઆત

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ રેલ્વે મંત્રીને રજૂઆત કરી છેકે હાલમાં મીડિયામાં મોરબીથી વાયા આમરણ – જોડિયા થઇને રેલ્વે લાઈન નાખવાની માંગણી ના સમાચાર વાંચ્યા તો મને જૂની યાદ આવી ગઈ કે મોરબીના આગેવાનો દ્વારા મોરબીથી રાજકોટ વાયા ટંકારા થઇને રેલ્વે લાઈન માટે માંગણી કરવામાં આવેલ હતી. અને સમાચાર મુજબ સરકારે આ માટે સર્વે ટીમ પણ મોકલી હતી. તો આ બાબતે હાલમાં શું નિર્ણય કરવામાં આવેલ છે. કે આ જાહેરાત પણ ૧૫ લાખ દરેક ના ખાતામાં આવશે તેવી ચુનાવી જુમલો જ હતી? તો આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે

(7:41 pm IST)