Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ક્ષત્રિય સમાજ સહિત જાહેર જીવનના અગ્રણી જયુભા જાડેજાની નિમણુક.

મોરબી : મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે  અગ્રણી ઉદ્યોગપતિ જયુભા ઉદયસિંહ જાડેજા (જયદીપ એન્ડ કંપની, વવાણીયા, મોરબી)ની નિમણુક કરવામાં આવી છે.  ક્ષત્રિય સમાજના આગેવાન જયુભા જાડેજા વર્ષોથી જાહેર જીવન જીવનના અગ્રણી  હોવા સાથે અનેક સામાજિક, સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ચૂંટણીઓ સ્થાનિક હોય, રાજ્યની હોય કે પછી રાષ્ટ્રીય હોય, તેઓ હંમેશા તન મન ધનથી પક્ષની તરફેણમાં દિવસરાત અથાગ મહેનત કરી પ્રશંસનીય કામગીરી કરતા આવ્યા છે. તેથી જ ભાજપ દ્વારા તેમની આગવી સંગઠન શક્તિને ધ્યાને લઈને તેમને જિલ્લા મહામંત્રીની અતિ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

 

હાલમાં તેઓ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, સહકારી મંડળીમાં સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યાછે. કોરોનાની કાતિલ બીજી લહેરમાં જયારે મોરબીમાં બેડ નહોતા મળતા ત્યારે તેમણે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા સાથે મળી મોરબીમાં તમામ જ્ઞાતિઓના દરદીઓ માટે ઓકિસજન બેડ સહિતનું કોરોના કેર સેન્ટર ખુલ્લું મૂક્યું હતું જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પોતાના લઘુ બંધુઓ દિલુભા જાડેજા તેમજ અશ્વિન સિંહ જાડેજા સહિત ત્રણે ભાઈઓએ માલિયા (મી) તાલુકાનાં તમામ ગામો, મોરબી મોરબી સહિત તાલુકામાં   કોરોના ટેસ્ટ માટેના આયોજનો" જયદિપ એન્ડ કું." ના બેનર હેઠળ કરી માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. અને 1998 માં નવલખી પંથકમાં વાવાઝોડા એ વેરેલ વિનાશ બાદ આ જ પરિવારના મોભી સ્વ. ઉદયસિંહ ભાઈ જાડેજા દ્વારા સતત ગ્રામીણ વિસ્તારના અસરગ્રસ્તો માટે સતત દોઢ માસ સુધી ભોજનાલય ખુલું મૂકવામાં આવ્યું હતું. તેના સેવાકાર્યો ની કંડારેલી કેડી પર તેમના પુત્રો ચાલી રહ્યા છે. મિત્રમંડળ, શુભચિંતકો દ્વારા જયુભા( 9825225555) પર અભિનંદન વર્ષા થય રહી છે.

(9:12 pm IST)