Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ભુજ નજીક એસટી બસ પલ્ટી જતા દેવજી મહેશ્વરીએ જી.કે. હોસ્પિટલમાં દમ તોડ્યો : 33 મુસાફરો ઘાયલ

નાસી છૂટેલા એસટી બસના ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી ઝડપી લેવા કવાયત

ભુજથી નખત્રાણા જઈ રહેલ એસટી બસ ઉપડ્યા બાદ ૧૦ કીમી દૂર રૂદ્રમાતા પુલ પાસે પલ્ટી મારી ગઈ હતી. આખી બસ ઊંઘી થઈ જતાં તેમાં કંડકટર વેલાભાઈ ચૌધરી સહિત ૩૩ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે દેવજી ખમુ મહેશ્વરી (ઉ.૫૦) રહે. પાલનપુર (બાડી), તા. નખત્રાણા ને ગંભીર ઇજાઓ થતાં આજે સારવાર દરમ્યાન ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

  આ ગમખ્વાર અકસ્માતમાં સામેથી આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતાં બસના ચાલકે કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને ૧૦૮ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. અકસ્માત બાદ નાસી છૂટેલા એસટી બસના ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)