Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સુરેન્દ્રનગર શાહ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને શુભેચ્છાસહ વિદાય અપાઇ

વઢવાણ, તા., પઃ એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા તથા આવનાર પરીક્ષાઓ તથા ઉજવળ કારકીર્દી માટેની શુભેચ્છાઓ આપવાનો કાર્યક્રમ એન.ટી.એમ. હાઇસ્કુલના આચાર્ય શિક્ષણવિદ અમીનભાઇ ઘેસાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે તેઓએ વર્તમાન સમયની તીવ્ર હરીફાઇમાં સફળ થવા ભગવત ગીતાના સંદર્ભ સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો. દિલીપ વજાણીએ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું પરમ કર્તવય નિભાવવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

પ્રો.કે.ડી.આહીરે પણ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ કાળના અનુભવોના પ્રતિભાવો રજુ કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વિશાલ દવેએ કર્યુ હતું.

(1:00 pm IST)