Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

નાગરિકતા કાયદાનાં સમર્થનમાં પાલીતાણામાં વિશાળ રેલીઃ વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ

ભાવનગર, તા.૫: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા અધિકાર કાનુન ખરડો લાવવામાં આવ્યો છે. જેનાં સમર્થનમાં આજે પાલીતાણા ખાતે રાષ્ટ્રીય એકતા મંચ અને સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાપાસીતારામ ચોકથી નિકળેલી રેલી, પાલીતાણાનાં વિવિધ માર્ગો પર ફરી હતી જયાં વેપારીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યુ હતું.

(11:46 am IST)