Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગર એસ.ટી. મજદુર સંઘના પ્રમુખ પરના હુમલા પ્રકરણમાં સામસામી ફરીયાદ નોંધાઇ

જામજોધપુર તા.૫: આશરે ૧૦ દિવસ પહેલા જામનગર એસ.ટી. મજદુર સંઘના પ્રમુખ પરેશ ભાલોડીયા પરના હુમલા પ્રકરણમાં આખરે સામસામી ફરિયાદ નોંધાવા પામી છે.

આ પ્રકરણની વિગત મુજબ ગુજરાત એસ.ટી. મજદુર સંઘના પ્રમુખ પરેશ ભાલોડિયા એસ.ટી.ના જ ડ્રાયવર દ્વારા માર મારી હુમલો કર્યાની ફરિયાદ પરેશ ભાલોડિયાએ પોલીસમાં કરી હતી.

આ ફરિયાદ અરજી અનુસંધાને સામ સામી ફરિયાદ નોંધાવા પામેલ છે.  ફરીયાદી પરેશભાઇ ઉર્ફે રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ, મનોહરસિંહ નથુભા વગેરેએ એક સંપ નોકરી બાબતે બોલાચાલી થતા હુમલો કર્યાનું જણાવાયુ છે.

આ કામ પોલીસે સામેવાળા સામે ઈપીકો કલમ ૩૨૯- ૫૦૪ - ૫૦૬ (૫૦૬)૨ મુજબ ગુન્હો દાખલ કરેલ.

જ્યારે સામેવાળા આરોપીઓએ પરેશ ભાલોડિયા વિરુધ્ધ  બસ તેમજ નોકરી પ્રશ્ને માથાકુટ થતા ફરીયાદ નોંધાવી છે. આમ એસ.ટી ના જ કર્મચારીએ અંદરોઅંદર બાખડતા અને સામસામી પોલીસ ફરિયાદ થતા આ મુદ્દે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

(11:39 am IST)