Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સાળંગપુર પાસે અકસ્માતમાં ૩ના મોત

કાર-રીક્ષા વચ્ચે ટક્કરઃ અકસ્માત સર્જીને કાર ચાલક નાશી છૂટ્યોઃ ૬ વ્યકિતને ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનગર સારવારમાં ખસેડાયા

ભાવનગર, તા.૫: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાળંગપુર ગામે આંણદ જીલ્લાના પેટલાદ તાલુકાના પંડોલી ગામનો સોલંકી પરિવાર જગવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન-માનતા પૂર્ણ કરવા માટે આવ્યો હતો ત્યાંથી આ પરિવાર પરત પોતાના ગામ તરફ સીએનજી રિક્ષામાં જઇ રહ્યો હતો.

તે વેળાએ સાંળગપુર થઈ થોડે દુર ભાભાની વડલી તરીખે ઓળખાતા વિસ્તાર પાસે બોટાદ તરફથી આવી રહેલ હોન્ડાસિટી.ના કારચાલકે ધડાકાભેર પોતાનું વાહન રીક્ષા સાથે અથડાવતા રીક્ષા રોડ સાઈડ ના ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાં સવાર નાનામોટા કુલ ૯ વ્યકિતઓ ને નાનીમોટી ગંભીર ઇજાઓ થવા પામી હતી.

જે પૈકી મનુભાઈ રામભાઈ સોલંકી ઉ.૪૦ ને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જયારે ૮ ઇજાગ્રસ્તને આપાતકાલીન સેવા ૧૦૮ દ્વારા ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં પણ મનુભાઈના  પત્ની સુમિત્રાબેન ઉ.૪૦ તથા તેના પુત્ર વિષ્ણું નુ ઉ.૧૭ નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

જેમાં કુલ મૃતઆંક ૩ નો થયો હતો. એકજ પરિવારના ૩ સભ્યના મોતથી ભારે ગમગીની વ્યાઈ જવાપામી હતી. જયારે અન્ય ૬ ઇજાગ્રસ્તો હાલ સારવાર લઈ રહ્યા છે સમગ્ર બનાવની જાણ બોટાદ પોલીસ તેમજ સેવાભાવીઓને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અન્ય ભોગગ્રસ્ત પરિવારને મદદ રૂપ બનવા પામ્યા હતા.

(11:19 am IST)