Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ભુજ નજીક એસટી બસ પલ્ટી જતા ૩૩ જણાને ઇજાઃ ડ્રાઇવર નાસી છૂટ્યો

 ભુજ તા. ૫ : ભુજથી નખત્રાણા જઈ રહેલ એસટી બસ ઉપડ્યા બાદ ૧૦ કીમી દૂર રૂદ્રમાતા પુલ પાસે પલ્ટી મારી ગઈ હતી. આખી બસ ઊંઘી થઈ જતાં તેમાં કંડકટર વેલાભાઈ ચૌધરી સહિત ૩૩ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. સામેથી આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતાં બસના ચાલકે કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. 

ઘાયલોને ૧૦૮ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. અકસ્માત બાદ નાસી છૂટેલા એસટી બસના ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:20 am IST)