Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મનહર ઉઘાસના ગુજરાતી ગઝલના આલ્બમ 'આકર્ષણ'નું ભાવનગરમાં વિમોચન

ભાવનગર તા. ૫ : જાણીતા પાર્શ્વગાયક મનહર ઉધાસે ગાયેલ ગુજરાતી ગઝલનું ૩૪માં આલ્બમ 'આકર્ષણ'નું આજે ભાવનગરના પત્રકારો સમક્ષ વિમોચન થયું છે. આલ્બમના વિમોચન માટે ગાયક મનહર ઉધાસ ભાવનગરના અતિથિ બન્યા હતા.

શેઠ બ્રધર્સવાળા અશોકભાઇ શેઠના અતિથિ બનેલ ગાયક મનહર ઉધાસે ભાવનગર સ્થિત તેમના મિત્રો, ગઝલકારો અને શુભેચ્છકો સાથે મુલાકાત કરી હતી અને આલ્બમમાં રજુ થયેલ ગઝલ સંભળાવી હતી.

આ પ્રસંગે શેઠ બ્રધર્સના અશોકભાઇ શેઠ, ભાવનગરના પીઢ પત્રકારો મહેન્દ્રભાઇ ગોહિલ, નાઝીરભાઇ સાવંત, બકુલભાઇ ચાતુર્વેદી, વિપુલભાઇ હિરાણી, શહેરના અગ્રણી ગઝલકારો ઉપસ્થિત રહ્યા હતા અને ગઝલ સાંભળી હતી.

શેઠ બ્રધર્સ પરિવારના કલાપ્રેમી અશોકભાઇ શેઠના બંગલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પત્રકાર વિપુલ હિરાણીને મુલાકાત આપી ગઝલ આલ્બમ અંગે માહિતી આપી હતી.(૨૧.૧૯)

 

(12:01 pm IST)