Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ભાવનગરમાં ગળાફાંસો ખાઇને યુવાનનો આપઘાત : ર૦ દિવસ પછી લગ્ન થવાના હતાં

નાગર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. શ્રીનાથજીનગર પાછળ લક્ષ્મીનગર વિભાગ-ર પ્લોટ નં.પ માં રહેતા નાગર યુવાન શિવાંગ બકીંમભાઇ મહેતા (ઉ.વ.૩૦) એ અગમ્ય કારણોસર આજે સવોર ઘેર બાથરૂમમાં શાલ વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

બનાવની જાણ થતાં જ ભરતનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મરનાર યુવાનના ર૦ દિવસ પછી લગ્ન થવાના હતાં. આ બનાવે પરિવારમાં શોકની લાગણી ફેલાયછે. (૮.૧૦)

(11:58 am IST)