Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વંથલીના બાલોટમાં જનાવર કરડતાં વણકર વૃધ્ધાનું મોત

૭૦ વર્ષના ગોૈરીબેને રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા. ૫: વંથલીના બાલોટ ગામમાં રહેતાં ગોૈરીબેન હીરાભાઇ મકવાણા (ઉ.૭૦) નામના વૃધ્ધા આઠેક દિવસ પહેલા પોતાની વાડીએ હતાં ત્યારે કોઇ જનાવર હાથ પર કરડી જતાં બળતરા ઉપડતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રાત્રીના તેમનું મોત નિપજ્યું છે.

 

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં પાંચ પુત્રો અને બે પુત્રી છે. જેમાં બે પુત્રો હયાત નથી. (૧૪.૬)

(11:54 am IST)