Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

માણાવદરમાં મુરઘીના ભાવના પ્રશ્ને બે શખ્સોએ પેટ્રોલ છાંટી દુકાન સળગાવી

જૂનાગઢ તા. પ :.. માણાવદરમાં ગત રાત્રે મુરઘીના ભાવનાં પ્રશ્ને બે શખ્સોએ પેટ્રોલ છાંટી દુકાન સળગાવી મારતા સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, માણાવદરમાં મીતડી રોડ પર દુકાન ધરાવતાં ઇમરાન ફિરોઝની દુકાને ગત રાત્રે અકરમ યુસુફ અને સલીમ મહમદ બ્લોક નામનાં બે શખ્સોએ આવી મુરઘીનો ભાવ પુછીને રકઝક કરી હતી. બાદમાં બંને શખ્સોએ ઇમરાનને માર મારી અને પેટ્રોલ છાંટી દુકાનને આગ ચાંપી દઇ રૂ. ૧૭૭૦૦ નું નુકસાન કર્યુ હતું.ુ આ અંગે  પોલીસે ફરીયાદ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)