Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રાણાવાવ પાલિકામાં એનસીપીને બહુમતી અને રાજયમાં ભાજપની સરકારથી વિકાસ કામો થતા નથીઃ કાંધલ જાડેજા દ્વારા કલેકટરને રજૂઆત

પોરબંદર તા.૫: રાણાવાવ નગરપાલિકા કચેરીમાં એનસીપીને બહુમતી હોય અને રાજયમાં ભાજપ સરકાર હોય વિકાસ કામો થતા નથી. તેવી રજૂઆત ધારાસભ્ય કાંધલ જાડેજાએ કલેકટરને કરી હતી.

રાણાવાવ પાલિકામાં ચીફ ઓફિસરની કાયમી નિમણુક કરવામાં આવતી નથી.

લાઇટ પાણી અને સફાઇના પ્રશ્નો વધતા જાય છે તેમ ધારાસભ્ય કાંધલ જાડેજાએ રજૂઆતમાં જણાવેલ છે.

(3:37 pm IST)