Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મહારાષ્ટ્રમાં થયેલી હિંસા મામલે મોરબીમાં દલિત સંગઠનનું આવેદન

 મોરબી : સ્વયં સૈનિક દળ મોરબી દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે ગત તા.૧ ના રોજ શોર્ય દિનના ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે જેને પગલે ભારતભર ના દલિત પછાત વંચિત, બહુજન અને આંબેડકરી અનુયાયીઓ ભીમાકોરેગાવામાં આવેલ વિજય સ્તંભ પર ગૌરવશાળી ઈતિહાસના સહભાગી બનવા કાર્યક્રમમાં જોડાયા હતા પરંતુ હિંદુ ધર્મની મનુવાદી વિચારધારા ધરાવતી સંસ્થાના કાર્યકરો દ્વારા કાર્યક્રમમાં પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેમાં એક વ્યકિતનું મોત થયું છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે આજના ભારતમાં હજુ પણ દલિત અને વંચિત પર અત્યાચાર થઇ રહ્યા છે જેથી આ મામલે તંત્ર ગંભીરતા દાખવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.(તસ્વીર-અહેવાલ : પ્રવિણ વ્યાસ - મોરબી)

(12:45 pm IST)